કેદારના મોત બાદ હજી પણ તંત્ર બેદરકાર: પીપલોદમાં ખુલ્લી ગટર પર ઢાંકણું ન રાખતાં કે યોગ્ય બેરિકેડિંગ ન કરાતા એક્ટિવાચાલક પડ્યો - surat news

feature-image

Play all audios:

Loading...

સુરતમાં ખુલ્લી ગટરોને કારણે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. બે દિવસમાં આ બીજી ઘટના છે, જે ખુલ્લી ગટર અને બેદરકાર મ્યુનિસિપલ તંત્ર પર સવાલ ઊભા કરે છે. પીપલોદ વિસ્તારમાં એક્ટિવા ચલાવતા એક


વ્યક્તિ ખુલ્લી ગટરમાં પડી ગયા, જોકે સદનસીબે તેમને ગંભીર ઈજા . એક્ટિવાચાલક ખુલ્લી ગટરમાં ખાબક્યો છેલ્લા 15 દિવસથી પીપલોદ વિસ્તારમાં ડ્રેનેજ લાઈન માટે કામ ચાલી રહ્યું છે, પરંતુ કોઈપણ જાતની


સલામતીની વ્યવસ્થા કરવામાં આવી નથી. ખુલ્લી ગટરોમાં બેરિકેડિંગ કે કોઈ નિશાન પણ મૂકવામાં આવ્યા નથી, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. એક્ટિવાચાલક રસ્તા પર જતા હતા, ત્યારે ખુલ્લી ગટર દેખાઈ નહોતી


અને તેઓ ગટરમાં પડી ગયા હતા. આ દુર્ઘટનામાં તેમની એક્ટિવા અડધી ગટરમાં ફસાઈ ગઈ અને તેને બહાર કાઢવામાં મુશ્કેલી પડી. હોસ્પિટલ ખસેડાયા, પહેલા પણ આવી ઘટનાઓ થઈ હતી ઘટનાસ્થળે હાજર લોકોએ તરત જ મદદ


કરી અને એક્ટિવાચાલકને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા. સદનસીબે તેમને ગંભીર ઈજા પહોંચી ન હતી, પરંતુ આ ઘટના સુરત મ્યુનિસિપલ તંત્ર માટે ચેતવણી રૂપ બની છે. આ પહેલા પણ વેડ રોડ વિસ્તારમાં બાઈકચાલક અને


રિક્ષાચાલક આવી જ રીતે ડ્રેનેજ લાઇનના ખોદકામમાં પડી ગયા હતા, જેના CCTV ફૂટેજ પણ વાઇરલ થયા હતા. કેદારના મોત પછી પણ તંત્ર બેદરકાર માત્ર બે દિવસ પહેલા સુરતના અન્ય વિસ્તારમાં એક યુવક ગટરમાં પડી


ગયો હતો અને આ અકસ્માતમાં તેનું મોત નીપજ્યું હતું. તેમ છતાં મ્યુનિસિપલ તંત્રએ કોઈ બોધ લીધા નથી અને ફરીથી ગટરની લાપરવાહીને કારણે આ ઘટના બની છે. આખરે કેટલા અકસ્માત પછી તંત્ર જાગશે? શું


મ્યુનિસિપલ તંત્ર ખુલ્લી ગટરો માટે કોઈ પગલા લેશે?.